ગુજરાત

gujarat

Junagadh Kalwa Chowk: જૂનાગઢ મહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ, પારંપરિક મણિયારો રાસ રજુ કરીને કાળવા ઓડેદરાને યાદ કર્યા

By

Published : Dec 25, 2021, 7:03 PM IST

જૂનાગઢમાં આવેલો કાળવાચોક ઐતિહાસીક (Junagadh Kalwa Chowk )મહત્વ પણ ધરાવે છે. જૂનાગઢનો હાર્દ સમો વિસ્તાર મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની (Statue installation of Kalwa Odedra )યાદ સાથે કાળવા ચોક તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. ત્યારે કાળવા ઓડેદરાની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની રજત જયંતિના ભાગરૂપે મહેર સમાજે આજે કાર્યક્રમ યોજીને (Maher Traditional Maniyaro Raas )કાળવા ઓડેદરાને આજના દિવસે યાદ કર્યા હતા.

Junagadh Kalwa Chowk: જૂનાગઢ મહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ, પારંપરિક મણિયારો રાસ રજુ કરીને કાળવા ઓડેદરાને યાદ કર્યા
Junagadh Kalwa Chowk: જૂનાગઢ મહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ, પારંપરિક મણિયારો રાસ રજુ કરીને કાળવા ઓડેદરાને યાદ કર્યા

જૂનાગઢઃશહેરની સૌથી જૂની ઓળખ એટલે કાળવાચોક કાળવા (Junagadh Kalwa Chowk )ચોકમાં વર્ષોથી મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપિત કરાઈ છે જ્યારે કાળવા ચોકમાં કાળકા ઓડેદરાની કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં ન હોતી આવી તે પૂર્વેથી ચોકનેને કાળવા ઓડેદરા ચોક તરીકે લોકો ઓળખતા હતા. ત્યારે કાળવા ચોકમાં મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપનની રજત જયંતિ(Silver Jubilee Celebration ) ઉત્સવ નિમિત્તે આજે જૂનાગઢમહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ કરી રજત જયંતી મહોત્સવની (Silver Jubilee Celebration )ધામધૂમપૂર્વક ઉજવણી કરી.

પારંપરિક મણિયારો રાસ

કાળવા ઓડેદરાની પ્રતિમા સ્થાપનની રજત જયંતિ મહોત્સવ જૂનાગઢમાં ઉજવાયો

મહેર જવામર્દ કાળવા ઓડેદરાની જૂનાગઢ શહેરના(Statue installation of Kalwa Odedra ) તેમના નામ સાથે સંકળાયેલા કાળવા ચોકમાં પ્રતિમા સ્થાપનની રજત જયંતિ મહોત્સવ આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના મહેર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં આવેલા મહેર સમાજના યુવાનો એ પારંપરિક વેશભૂષાનો પોષાક ધારણ કરીને રેલી સ્વરૂપે કાળવા ચોકમાં આવીને મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની પ્રતિમાને ફૂલહાર અને હારતોરા કરીને તેમની પ્રતિમા સ્થાપન રજત જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેર સમાજના યુવાનોએ પારંપરિક મણિયારો રાસ (Maher Traditional Maniyaro Raas )રજુ કરીને રજત જયંતી મહોત્સવની ઉજવણી અને ચાર ચાંદ લગાવી દીધાહતા.

જૂનાગઢના જાહેર ચોકને કાળવાચોક તરીકે નામકરણ કરાયું

જૂનાગઢમાં આવેલો કાળવાચોક ઐતિહાસીક મહત્વ પણ ધરાવે છે. ત્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું ,ત્યારે નવાબના શાસનની સામે મહેર જવાંમર્દ કાળવા ઓડેદરા વર્ષો પૂર્વે ધિગાણે ચડયા હતો. જેમાં કાળવા ઓડેદરા અને તેની સેનાના સૈનિકો એ નવાબને ઘૂંટણીએ પાડી દીધા હતા. નવાબ સામે કોઈ બોલવા સુધા તૈયાર ન હતુ, આવા સમયે નવાબને ધીંગાણા માટે ખુલ્લું જાસુ મોકલીને મહેર જવામર્દ કાળવા ઓડેદરાએ નવાબ સામે ખુલ્લેઆમ બંડ પોકાર્યો હતો કહેવાય છે કે કાળવા ઓડેદરા અને નવાબની સેના વચ્ચે ભિષણ જંગ ખેલાયો હતો તે કાળવા ચોકથી શરૂ થયો હતો જેના માનમાં અને કાળવા ઓડેદરાની યાદ સદાય જૂનાગઢમાં બની રહે તે માટે આ વિસ્તારને કાળવાચોક તરીકે ઓળખવાની શરૂઆત થઈ, ત્યારથી જૂનાગઢનો હાર્દ સમો વિસ્તાર મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાની યાદ સાથે કાળવા ચોક તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. ત્યારે કાળવા ઓડેદરાની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની રજત જયંતિના ભાગરૂપે મહેર સમાજે આજે કાર્યક્રમ યોજીને કાળવા ઓડેદરાને આજના દિવસે યાદ કર્યા હતા.

આ પણ વાંચોઃCorona In Surat: કોરોનાના વધતા ખતરા વચ્ચે પણ લોકો બેદરકાર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું નથી કરી રહ્યા પાલન

આ પણ વાંચોઃOmicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બન્ને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં નોંધાયા કુલ 30 કેસ

ABOUT THE AUTHOR

...view details