ગુજરાત

gujarat

By

Published : Dec 9, 2019, 7:11 PM IST

ETV Bharat / state

લ્યો બોલો દીપડાથી સુરક્ષિત રહેવા માટે ખેડૂતો પાંજરે પુરાયા

જૂનાગઢ: છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરામાં દીપડો ભારે હાહાકાર મચાવી રહ્યો છે. દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી નથી. જેને લઇને હવે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ દીપડાના ભયથી કાપી રહ્યાં છે. ખેડૂતે જીવ બચાવવા માટે હવે ખેતરમાં પાંજરે પુરાઇને રહેવાનો નિર્ણય કર્યો છે.

દીપડો પાંજરે નહીં પુરાતા સુરક્ષા માટે જૂનાગઢના ખેડૂતો પુરાયા પાંજરે
દીપડો પાંજરે નહીં પુરાતા સુરક્ષા માટે જૂનાગઢના ખેડૂતો પુરાયા પાંજરે

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી માનવ ભક્ષી બનેલો દીપડો હાહાકાર મચાવી રહ્યો છે. દિપડાના હાહાકારની વચ્ચે સમગ્ર બગસરા પંથક થરથર કાંપી રહ્યું છે. બગસરા સાથે જૂનાગઢ જિલ્લાની હદ પણ જોડાયેલી છે. જેને લઇને આ માનવભક્ષી દીપડો આ તરફ આવીને કોઈ માનવ વધ ન કરે તેને લઈને હવે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે દીપડાના સંભવિત હુમલાને ખાળવા માટે હવે ખેડૂતો તેમના ખેતરમાં ખાસ પ્રકારનું પીંજરું બનાવીને દીપડાના ભયથી અને દીપડાના હુમલાથી બચવા માટે નવી વ્યવસ્થા કરી રહ્યાં છે.

દીપડો પાંજરે નહીં પુરાતા સુરક્ષા માટે જૂનાગઢના ખેડૂતો પુરાયા પાંજરે
સામાન્ય સંજોગોમાં જે વિસ્તારમાં હિંસક પ્રાણીઓ સિંહ અને દિપડાની રંજાડ હોય છે. તેવા વિસ્તાર અને ખેતરોમાં દીપડા અને સિંહને પૂરવા માટે વનવિભાગ પાંજરૂ મુકીને હિંસક પ્રાણીઓના ખતરાથી લોકો અને ખેડુતોને બચાવતા હોય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી બગસરા પંથકમાં જે પ્રકારે માનવભક્ષી બનેલો દીપડો હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઈને જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતો હવે પાંજરે પુરાઇ ને ખેતી કરવા માટે મજબૂર બન્યા છે. એક તરફ દીપડો પાંજરે પુરાતો નથી ત્યારે ખેડૂતો તેમના જીવનનું રક્ષણ કરવા માટે હવે ખુદ પાંજરે પુરાય અને ખેતી કરવા માટે મજબૂર બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details