- જૂનાગઢ જિલ્લા પોલીસે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શરૂ કર્યો નવતર અભિગમ
- કોરોના જન જાગૃતિ રથનુ વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું
- જનજાગૃતિ રથ શહેરમાં ફરીને લોકોને સાવચેતી અને સલામતી અંગે માર્ગદર્શન આપશે
કોરોનાના સંક્રમણમાં વધારોઃ જૂનાગઢ જિલ્લા પોલીસે શરૂ કર્યો કોરોના જન જાગૃતિ રથ - કોરોના જન જાગૃતિ રથ
સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ પોલીસે નવતર અભિગમની શરૂઆત કરી છે. વિભાગીય પોલીસ અધિક્ષકની હાજરીમાં કોરોના જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફરીને લોકોને કોરોનાથી સાવચેતી અને જનજાગૃતિ ફેલાય તે અંગે માર્ગદર્શન આપશે.
corona
જૂનાગઢઃ જૂનાગઢ પોલીસે નવતર અભિગમની શરૂઆત કરી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આજ શુક્રવારથી જનજાગૃતિ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફરીને કોરોના સંક્રમણથી સાવચેતી અને સલામતી અંગે લોકોને માર્ગદર્શન પૂરું પાડશે. આ રથ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સતત 24 કલાક ફરીને લોકોને કોરોના સંક્રમણના ફેલાવવાથી દૂર રહેવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડશે.