ગુજરાત

gujarat

By

Published : Sep 21, 2019, 10:21 PM IST

ETV Bharat / state

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી થતાં સરપંચ દ્વારા લેખીત ફરીયાદ કરવામાં આવી હતી. છતાં તંત્ર ઘોર નિન્દ્રામાં સુઇ રહ્યું છે.

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં

માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે ભુ માફીયાઓ દ્વારા સરકારી ગૌચરની જમીનમાંથી અવાર નવાર માટીની ખનીજ ચોરી થઇ રહી છે અને આ બાબતે તંત્રને સરપંચ દ્વારા અવાર નવાર લેખીત મૌખીક ફરીયાદો કરવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. જેથી તંત્ર ઉપર પણ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સેવાઇ રહી છે.

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં
જયારે ગામ લોકો પણ આ બાબતે ફરીયાદ કરવા છતાં સરકારની આ જમીનમાં બે રોકટોક ખનીજ ચોરોએ માજા મુકી છે, ત્યારે ખાસ કરીને જોઇએ તો માળીયા હાટીના તાલુકામાં અવાર નવાર ખનીજચોરી તેમજ ગેર કાયદેસર ભરડીયાઓની ફરીયાદો ઉઠી રહી છે. પરંતુ તંત્ર આ બાબતે કેમ નીષ્ક્રીયતા દાખવે છે તે સમજણ બહાર છે. હવે આગળ તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે કે નહિ તે જોવુ રહ્યુ.

ABOUT THE AUTHOR

...view details