ગુજરાત

gujarat

By

Published : Jun 24, 2019, 6:57 AM IST

ETV Bharat / state

ગુજરાતી ચલચિત્રના ભિષ્મ પિતામહ ગોવિંદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

જુનાગઢઃ સ્વ. ગોવિંદભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કેશોદનાં આંબાવાડી ખાતે ગુજરાતી ફિલ્મોના નિર્માતા હરેશભાઈના માતા સ્વ. વિજ્યાબેન ગોવિંદભાઇ પટેલ અને પિતા સ્વ. ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

hd

ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ અનેક ગુજરાતી ફિલ્મોનું સર્જન કરનારા મૂળ કેશોદના વતની સ્વ. ગોવિંદભાઇ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કેશોદનાં આંબાવાડી ખાતે ગુજરાતી ફિલ્મોના નિર્માતા હરેશભાઈના માતા સ્વ. વિજ્યાબેન ગોવિંદભાઇ પટેલ અને પિતા સ્વ. ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતાઓ કલાકારો રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢમાં સ્વ. ગોવિંદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગુજરાતી ફિલ્મ અભિનેતા સહિત અનેક કલાકારોની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાને વીડિયો સંદેશ થકી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમ બાદ રાત્રે કડવા પાટીદાર સમાજમાં 'મારા વતનમાં મારી યાદ સ્વ. ગોવિંદભાઇ પટેલ' શિર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડીયા, હિતુ કનોડીયા સહિતના ગુજરાતી ફિલ્મ અભિનેતાઓ કલાકારોએ ગીતો અને અભિનય રજુુ કર્યા હતા. જેમાં નિર્માતા હરેશભાઈ પટેલનો પરિવાર આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details