જૂનાગઢઃ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી - Manavadar Municipality
માણાવદર સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર પાઠવી ફરિયાદ કરતા જણાવ્યું છે કે, શું તમારા શાસનમાં ગાંધીજી ભ્રષ્ટાચાર ન જોઇ શકે એટલા માટે માણાવદર નગરપાલિકાની સામે ઊભેલી ગાંધી પ્રતીમાં ચશ્મા વિનાની છે.

જૂનાગઢ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી
જૂનાગઢઃ આઝાદી સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજીએ ચલાવેલી ચળવળે ભારતને સ્વતંત્ર બનાવ્યું છે. મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા બાદ આઝાદી મળતા લોકો આનંદવિભોર બની ગયાને તેની ઉજવણી પરંપરાગત કાળ પછી ગાંધીજી માત્ર ખુરસી મેળવવાનું કેન્દ્ર બનીને રહી ગયા છે.