ગુજરાત

gujarat

ETV Bharat / state

10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવણી કરાઇ - Human Rights Day

જૂનાગઢ: સમગ્ર વિશ્વની સાથે આજે ભારતમાં પણ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1948ની 10મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 ડિસેમ્બર માનવ અધિકારની જોગવાઈઓનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ
etv bharat

By

Published : Dec 10, 2019, 9:49 PM IST

10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1948ની 10મી ડિસેમ્બરે માનવ અધિકારોને લઈને એક સાર્વત્રિક અને વ્યાપક પણે અસરમાં આવે તેવી નીતિ બનાવી અને માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે કાયદા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે. 10મી ડિસેમ્બરના દિવસે ભારતમાં પણ માનવ અધિકારોને લઈને ક્યાંક અસંતોષ આજે પણ જોવા મળી રહ્યો છે. પરંતુ 1948 થી લઈને આજદિન સુધી માનવ અધિકારોને લઈને સંપૂર્ણપણે વ્યવસ્થાતંત્ર સ્થાપવામાં ભારતની સાથે સમગ્ર વિશ્વની નીતિઓ આજે પણ વામણી પૂરવાર થઇ રહી છે.

માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરાઈ

ભારતમાં જોવા મળે છે. તેવી ઉદારતા કદાચ વિશ્વના એક પણ દેશમાં જોવા મળતી હોય તેવું લાગતું નથી. સજા પામેલો ગુનેગાર પણ માનવ અધિકાર મેળવવા માટે હકદાર છે. તેવા અનેક કિસ્સાઓ ભારતમાં જોવા મળી રહ્યા છે. આજે પણ નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી આપવા માટે વ્યવસ્થાતંત્ર માનવ અધિકાર સામે ક્યાંકને ક્યાંક નબળુ પુરવાર થયું હોય તેવું આજે લાગી રહ્યું છે. માનવ અધિકાર માનવના મૌલિક વ્યક્તિત્વને આઝાદી મળે તે માટે સ્થાપવામાં આવ્યા છે. ભારતના બંધારણમાં પણ માનવ અધિકારોને લઈને કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. જે જોગવાઈઓ મુજબ ભારતમાં જન્મ લેતા દરેક નાગરિકને જન્મતાની સાથે જ કેટલાક અધિકાર મળતા હોય છે. જે મુજબ ભારતનો દરેક નાગરિક બંધારણની જોગવાઈ મુજબ માનવ અધિકારને લઈને તેને રક્ષણ આપે છે.

ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો મૌલિક અધિકાર છે તેવું સ્પષ્ટ દર્શાવ્યું છે. આટલું ઉદારવાદી અને માનવતાવાદી બંધારણ ભારત સિવાય અન્ય રાષ્ટ્રનું હોય તેવું પણ જોવામાં આવતું નથી. પરંતુ દુઃખની વાત એ છે કે, આજે ભારતમાં માનવ અધિકારોના હનનના કિસ્સાઓ પણ સતત દિવસે અને દિવસે વધી રહ્યા છે. જેનું કારણ સમાજમાં વ્યાપેલી અસમાનતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કેટલીક નબળી અને બિનઅનુભવી આયોજનપૂર્વકની નીતિને કારણે આજે કેટલાક લોકો માનવ અધિકારની છટકબારી શોધીને બહાર નીકળી જાય છે. કેટલાક લોકો આ જ માનવ અધિકારોના રક્ષણ મેળવવા માટે તેનું જીવન ખપાવી દે છે.

ABOUT THE AUTHOR

...view details