ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2019, 5:22 PM IST

ETV Bharat / state

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે

જૂનાગઢઃ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ યોજવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્ધા જિલ્લાઓમાં આગામી દિવસોમાં યોજવામાં આવશે

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઓ હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં યોજવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ 1971માં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બહુમાન સૌરાષ્ટ્રના એક દૈનિક સમાચાર પત્રકને જાય છે. 1996 સુધી આ સ્પર્ધાનું આયોજન વિવિધ સંથાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાજ્ય સરકર દ્વારા દર વર્ષે જૂનાગઢના ગિરનાર પર્વત પર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે હવે રાજ્યના વિવિધ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે
ગત વર્ષે આયોજિત આ સ્પર્ધામાં 20 જિલ્લાઓમાંથી 1303 સ્પર્ધકોએ ભાગ લીધી હતો, પગથિયાં ચડીને ઉતરવાની આવી સપર્ધાઓ સમગ્ર વિશ્વમાં એક માત્ર જૂનાગઢમાં આયોજિત કરવામાં આવતી હતી, હવે તેનું વિસ્તરણ કરીને જૂનાગઢ સહિત રાજ્યના અન્ય 5 જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢમાં સ્પર્ધકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જો રાજ્યમાં અન્ય જિલ્લાઓમાઁ આ સ્પર્ધાઓનુ યોગ્ય અમલીકરણ નહીં કરવામાં આવશે તો જૂનાગઢમાં આયોજિત સ્પર્ધાને પણ તેની વિપરીત અસરો પડી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details