જુનાગઢ મનપાને રાજ્ય સરકારે આપ્યા 27.50 કરોડ, આ રકમનો ઉપયોગ જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કરવામાં આવશે - Gujarat Government
જુનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ અને સ્વર્ણિમ ગુજરાત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મનપાને 27. 50 કરોડની ગ્રાન્ટ મળી હતી, આ ગ્રાન્ટનો ઉપયોગ હવે આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના કામોને લઈને કરવામાં આવશે, તેવું જૂનાગઢના સત્તાધીશોએ જણાવ્યું હતું.
જુનાગઢ મનપાને રાજ્ય સરકારે આપ્યા 27.50 કરોડ, આ રકમનો ઉપયોગ જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રૂપિયા બે હજાર કરોડ કરતાં વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ મનપાને 27.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. જેનો આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના કામોને લઈને ઉપયોગ કરવામાં આવશે. તેવું જૂનાગઢના સત્તાધીશોએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યું હતું.