જૂનાગઢઃ ગુજરાતને બેઠું કરવામાં અને મહારાષ્ટ્રમાંથી છૂટા થયા બાદ નવસર્જન કરવામાં અનેક એવા મોટાકદના લોકોએ સિંહફાળો આપ્યો છે. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિકને ક્યારેય ભૂલી શકાય એમ નથી. ભાગ્યે જ કોઈને એ વાત ખ્યાલ હશે કે, વર્ષ 1925 થી 1930 એમ પાંચ વર્ષ દરમિયાન ગુજરાત ફિલ્મો સાથે જોડાવવાના પ્રયાસ કર્યા હતા. પણ ખાસ કોઈ સફળતા પ્રાપ્ત થઈ નહીં. જે સફળતા મહા ગુજરાત ચળવળ આંદોલનને મળી તેવી સફળતા ઈન્દુલાલ યાજ્ઞિકને ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન ક્ષેત્રે ન મળી. તેઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Day 2023: રાજ્યનો સ્થાપના દિવસ, સોમનાથથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ
પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકઃસંયુક્ત મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળે તે માટે ગુજરાતી ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની સ્થાપના કરી હતી. આ પ્રયત્નો બાદ ત્રણ દશકાની લડાઈ બાદ અંતે 1960માં ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળી ગયો. જે આજના દિવસે પ્રાપ્ત થયો હતો. ગુજરાતને અલગ રાજ્ય મળે તે માટેની લડાઈમાં સફળ રહેલા ઈન્દુલાલ યાજ્ઞિકે તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતી ચલચિત્ર ના લેખન નિર્માતા અને દિગ્દર્શન પાછળ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો.
નિર્માતા અને દિગ્દર્શક તરીકેઃવર્ષ 1925 માં 32 વયની આયુ એ ઈન્દુલાલ યાજ્ઞિકને મહાત્મા ગાંધી સાથે મતભેદ થતા તેઓ અમદાવાદથી મુંબઈ જતા રહ્યા. અહીં તેમણે પત્રકારિતા કરી પત્રકારિતા દરમિયાન તેમના ધ્યાનમાં આવેલા મુંબઈનો ફિલ્મ ઉદ્યોગની મોટી અસર થઈ. ફિલ્મના લેખનમાં ખૂબ સારી કમાણી થતી હોવાને કારણે પત્રકાર એવા ઈન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતી ચલચિત્રના લેખનમાં પોતાનો હાથ અજમાવ્યો. પ્રથમ ફિલ્મના લેખન પર તેમને 1200 રૂપિયા જેટલું મહેનતાણું મળ્યું હતું.
અનુવાદક તરીકે હતાઃ વર્ષ 1926 માં જ્યારે બોલતી ફિલ્મનો જમાનો ન હતો તેવા સમય માં હિમાંશુ રાયે લાઇટ ઓફ એશિયા નામની મુવીમાં અંગ્રેજી સબ ટાઈટલ નું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે અંગ્રેજીના ખૂબ જ જાણકાર ઈન્દુલાલ યાજ્ઞિકને કામ સોંપ્યું ત્યાર બાદ નૂરજહાં નામની ફિલ્મ લખવાનું કામ પણ હિમાંશુ રાયે ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપ્યું હતું. પરંતુ કોઈ કાળક્રમે આ ચલચિત્ર નિર્માણ સુધી પહોંચી શક્યું નહીં. હિમાંશુ રાય સાથે ફિલ્મ લેખન અને સબ ટાઈટલનું કામ કર્યા બાદ ઈન્દુલાલ યાજ્ઞિકે અબુ શેઠની ઇમ્પીરીયલ કંપનીમાં જોડાયા.