ગુજરાત

gujarat

36 કિમીની લીલી પરિક્રમાનો આવતીકાલથી થશે પ્રારંભ, 5 પડાવનું છે વિશેષ ધાર્મિક મહત્વ

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આવતીકાલથી શરૂ (girnar lili parikrama) થઈ રહી છે. ત્યારે આ લીલી પરિક્રમામાં 5 પડાવોને ખૂબ ધાર્મિક મહત્વ છે. પરિક્રમાના પ્રથમ પડાવ ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમમાંથીઓએ પડાવ નાખીને પરિક્રમાની (bhavnath taleti girnar junagdh) વિવિધ શરુઆત કરી છે

By

Published : Nov 3, 2022, 10:36 AM IST

Published : Nov 3, 2022, 10:36 AM IST

36 કિમીની લીલી પરિક્રમાનો આવતીકાલથી થશે પ્રારંભ, 5 પડાવનું છે વિશેષ ધાર્મિક મહત્વ
36 કિમીની લીલી પરિક્રમાનો આવતીકાલથી થશે પ્રારંભ, 5 પડાવનું છે વિશેષ ધાર્મિક મહત્વ

જૂનાગઢગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં 5 પડાવોને ખૂબ ધાર્મિક મહત્વ (girnar lili parikrama) છે. પરિક્રમા માટે આવતા પ્રત્યેક પરિક્રમાથીઓએ પરિક્રમાનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કરવા 5 પડાવ પર રોકાણ કરવાની ધાર્મિક વાયકા આજે પણ જોવા મળે છે. ત્યારે પરિક્રમાના પ્રથમ પડાવ ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમમાંથીઓએ પડાવ નાખીને પરિક્રમાની વિવિધ શરુઆત કરી છે.

લીલી પરિક્રમા આવતીકાલથી શરૂ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને (girnar lili parikrama) શરૂ થવાને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે પરિક્રમા દરમિયાન 5 પડાવના ધાર્મિક મહત્વ અંગે ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે પ્રથમ પડાવ એટલે ગિરિ તળેટીનું ભવનાથ પરિક્ષેત્ર (bhavnath taleti girnar) અહીં ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા માટે આવેલા પરિક્રમાર્થીઓએ ભવનાથમાં પ્રથમ પડાવ નાખીને ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની શરૂઆત કરી છે.

પરિક્રમા માટે આવેલા ભાવિકોએ વ્યક્ત કરી પોતાની ખુશી

36 કિમીના રૂટ પર 5 પડાવનું ધાર્મિક મહત્વ સમગ્ર પરિક્રમાના 36 કિલોમીટરના લાંબા રૂટ (girnar lili parikrama) પર 5 પડાવનો ધાર્મિક મહત્વ ખૂબ માનવામાં આવે છે, જે પૈકીનો પ્રથમ પડાવ એટલે ભવનાથ પરિક્ષેત્ર (bhavnath taleti girnar) અહીં પડાવ નાખીને પરિક્રમાથીઓએ (girnar lili parikrama) પોતાની સાથે લાવેલું ભોજન પ્રસાદ બનાવીને ગિરનારી અનુભૂતિ સાથે તેને ગ્રહણ કરીને વિધિવત્ રીતે પરિક્રમાને પ્રથમ પડાવથી પરિક્રમારૂપી ધાર્મિક યાત્રાની શરૂઆત કરે છે.

પરિક્રમા માટે આવેલા ભાવિકોએ વ્યક્ત કરી પોતાની ખુશીપરિક્રમા (girnar lili parikrama) કરવા માટે આવેલા પરિક્રમાર્થીઓએ તેમની આ ધાર્મિક યાત્રાની અનુભૂતિ કેવી રહી છે. તેને લઈને તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં અને તમામ વય જૂથના ભાવિકોએ પરિક્રમામાં સામેલ થઈને ધાર્મિક પુણ્યની સાથે ગિરનારી અનુભૂતિનો આહલાદક (bhavnath taleti girnar) અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું.

વિશેષ પરિક્રમા પ્રથમ વખત પરિક્રમા માટે આવેલી બાળકીઓ પણ પોતાની આ ધાર્મિક યાત્રારૂપી પરિક્રમાને વિશેષ માની રહી છે. વધુમાં પાછલા ઘણા વર્ષોથી પરિક્રમા કરવા માટે આવતા પરિક્રમાથી જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન અભ્યાસને અંતે બાળકની પરીક્ષા શિક્ષક લેતા હોય છે. ત્યારે ગૃહસ્થ જીવનની પરીક્ષા આપવાનું સ્થળ એટલે ગિરનાર અને ગિરનારી મહારાજની સમીપે જીવનની પરીક્ષા આપવાનું જે (bhavnath taleti girnar) અહોભાગ્ય આજે પ્રાપ્ત થયું છે. તેને પામવા માટે અમે અહીં લીલી પરિક્રમા (girnar lili parikrama) માટે ઉપસ્થિત થયા છીએ.

ABOUT THE AUTHOR

...view details