ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંહોની વસ્તી ગણતરી પર આવી શકે છે કોરોના વાઇરસનો સંકટ... - કોરોના વાઇરસની અસર

દર પાંચ વર્ષ બાદ ગીરના રાજા સિંહની વસ્તી ગણતરી રાજ્યના વન વિભાગ દ્વારા હાથ ધરવામા આવતી હોય છે. પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને જોતા આ વર્ષની વસ્તી ગણતરી પર કોરોના વાઇરસનું ગ્રહણ લાગી શકે છે. જેને કારણે આ વસ્તી ગણતરી એક વર્ષ માટે પાછી ઠેલાવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus, Junagadh News
કોરોના વાઈરસના ખતરાને પગલે દર પાંચ વર્ષે થતી સિંહોની ગણતરી અટકી શકે છે

By

Published : Apr 3, 2020, 9:32 AM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસ જે પ્રકારે હાહાકાર મચાવી રહ્યો છે, તેને કારણે જંગલના રાજા સિંહની વસ્તી ગણતરી પણ અટકી શકે છે. પાંચ વર્ષે રાજ્યનું વનવિભાગ સિંહોની વસ્તી ગણતરી કરતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને કેટલીક સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે અને અંદાજિત 30થી લઈને 45 દિવસ સુધીની આકરી મહેનત બાદ ગીર વિસ્તારમાં જંગલના રાજા સિંહની ચોક્કસ સંખ્યાનો આંકડો પ્રાપ્ત થાય છે, પરંતુ રાજ્યમાં જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેને જોતા એવું કહી શકાય કે, આ વર્ષે સિંહોની વસ્તી ગણતરી એક વર્ષ સુધી પાછી ઠેલાઈ શકે છે.

કોરોના વાઈરસના ખતરાને પગલે દર પાંચ વર્ષે થતી સિંહોની ગણતરી અટકી શકે છે
એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્રમાં અને તેમાંય ખાસ કરીને ગીર વિસ્તારમાં જંગલના રાજા સિંહનું અસ્તિત્વ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહની લટાર વન વિભાગને નજરે પડી છે. જેને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રના પાંચ કરતાં વધુ જિલ્લાઓમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવાની કવાયત વનવિભાગ છેલ્લા એક મહિનાથી ચલાવી રહ્યું હતું. પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ ફેલાતાં આ કવાયત પર બ્રેક લાગી છે. જે ક્યારે ફરી શરૂ થશે તેને લઇને કોઇ ચોક્કસ અનુમાન લગાવી શકાય તેમ નથી. જૂન મહિનામાં સિંહોનું વેકેશન શરૂ થતું હોય છે, ત્યારે આ ચાર મહિના સુધી ગીરમાં તમામ પ્રકારની ગતિવિધિ સંપૂર્ણ બંધ જોવા મળે છે. આ સમયમાં સિંહોની વસ્તી ગણતરી કરવી અશક્ય છે. શિયાળા દરમિયાન દિવસો ટૂંકા અને લાંબી રાત્રીને કારણે તેમજ શિયાળાના સમયમાં સિંહો જંગલ વિસ્તારમાં છુપાઈને બેઠા હોય છે માટે તેને સરળતાથી ઓળખી કાઢી અને તેની ગણતરી કરવી પણ ખૂબ જ કપરી અને મુશ્કેલ બાબત છે.

જે ઉનાળા દરમિયાન દિવસો લાંબા તેમજ જંગલ પાંખું અને પીવાના પાણીની કમીને કારણે સિંહો બહાર આવતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગણતરી કરવી ખૂબ જ સરળ બની શકે છે, પરંતુ કોરોના વાઇરસને પગલે આ વર્ષે ઉનાળા દરમિયાન સિંહોની વસ્તી ગણતરી કરી શકાય તેમ નથી માટે તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવી પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details