ગુજરાત

gujarat

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા

જૂનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે અંતિમ ચરણોમાં છે. ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમાને કેટલાક પદયાત્રીઓ આજે પણ ધાર્મિક મહત્વ સાથે પરિક્રમામાં જોડાયા છે અને અગિયારસથી લઈને પૂનમ સુધીના પાંચ દિવસ અને પાંચ પડાવો સાથે આ પરિક્રમા પૂર્ણ કરે છે.

By

Published : Nov 11, 2019, 12:00 PM IST

Published : Nov 11, 2019, 12:00 PM IST

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હાલ તેની ચરમસીમાએ અને અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય તે માટે સર્વપ્રથમ ગિરનારની પરિક્રમા કરી હોવાનું આપણા ધાર્મિક પુરાણોમાં આજે પણ જોવા મળે છે. કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી આ પરિક્રમામાં 33 કોટી દેવતા પણ ભગવાન કૃષ્ણના સાનિધ્ય મળે તે માટે આ પરિક્રમા જોડાયા હોવાની લોકવાયકા પણ છે. ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી પરિક્રમાનો ધાર્મિક મહત્વ એટલા માટે વધી જાય છે કે આ યાત્રાને ધર્મની સાથે જોડવામાં આવી રહી છે.

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા
આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા

પૌરાણિક કાળથી યોજાતી આવતી આ પરિક્રમા પાંચ પડાવોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રથમ પડાવ તરીકે ભવનાથ પરિક્ષેત્રને માનવામાં આવે છે. પ્રથમ પડાવ દરમિયાન પદયાત્રામાં સામેલ પદયાત્રીઓ ભવનાથમાં રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ ગ્રહણ કરી પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ કરે છે.

આ પરિક્રમા આગળ ચાલતા જીણાબાવાની મઢી સુધી પહોંચે છે. જેને પરિક્રમાના બીજા પડાવ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ પદયાત્રીઓ રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ જંગલમાં જ બનાવીને પોતે ગ્રહણ કરે છે. આ સાથે આવતા અન્ય પદયાત્રીઓને પણ ગ્રહણ કરાવે છે.

ABOUT THE AUTHOR

...view details