ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: કોરોના કાળમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ - Humanitarian decision in Junagadh

જૂનાગઢ જિલલામાં કોરોનાનું સંક્રમણના પગલે બોલબાલા ટ્રસ્ટનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યા છે. માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઔષધિઓ અને નાશ લેવાના મશીનનું વિનામૂલ્ય કહી શકાય તે પ્રકારે બજાર ભાવથી ઓછી કિંમતમાં વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ

By

Published : Sep 19, 2020, 3:18 PM IST

  • જૂનાગઢમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો માનવતાવાદી અભિગમ
  • માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઔષધિઓ અને નાશ લેવાના મશીનનું નજીવા મુલ્યે વિતરણ
  • કોરોના સંક્રમણના પગલે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારદાયક પહેલ

જૂનાગઢઃ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં નજીવ કહી શકાય તેવા મુલ્યે પડતર કિંમતે માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઉકાળા અને નાશ લેવાના મશીનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને જૂનાગઢના લોકો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે પ્રકારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો આ માનવતાવાદી નિર્ણય ખરેખર આવકારદાયક છે.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ
સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જૂનાગઢમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ માનવતાવાદી અભિગમ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટના નેજા હેઠળ માસ્ક, સેનિટાઇઝર, નાશ લેવાના મશીનો, આર્યુવેદિક ઔષધી અને ઉકાળાનું વિનામૂલ્યે કહી શકાય તે પ્રકારે પડતર કિંમતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વસ્તુઓના વેચાણ કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આયુર્વેદિક દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા હતા.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ
ગત એક અઠવાડિયાથી જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે લોકો પોતાની રીતે પોતાનું રક્ષણ કરી શકે તેવા માનવતાવાદી અભિગમ સાથે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આગામી બે દિવસ સુધી માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક, ઔષધો ઉકાળા અને નાસ લેવાનું મશીનનું વિતરણ કરાશે.

ABOUT THE AUTHOR

...view details