- વધુ વરસાદ કારણે ધરતીપુત્રની ચિંતામાં વધારો
- જુનાગઢ પંથકમાં ચાલીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર
- કપાસના બજારના ભાવો આ વર્ષે ઉચાઃ એપીએમસીના અધિકારી
જૂનાગઢઃ ચોમાસાના ભરપુર મહિના એવા અષાઢ મહિનામાં વરસાદની ભારે ખેંચ જોવા મળી હતી. ત્યારે સમગ્ર રાજ્યમાં જ્યારે છેલ્લા કેટલાક સમયથી મેઘ મહેર ચાલુ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ નજીક તેમજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે તો વધુ વરસાદના કારણે હવે વિપરીત અસરો સામે આવી રહી છે. ભાદરવામાં ભારે વરસાદ થવાને કારણે કપાસના પાકને જૂનાગઢ પંથકમા નુકસાન સામે આવી રહ્યું છે. જેને લઈને ખેડૂતોની ચિંતાઓ વઘી રહી છે.
સોરઠની ધરતી ઉપર વધુ વરસાદ કારણે ધરતીપુત્ર ચિંતામાં મુકાયા છે. કારણે કે, વધુ વરસાદ પડવાને કારણે કૃષિક્ષેત્ર નુકસાન સામે આવી રહ્યું છે. જુનાગઢ પંથકમાં કપાસના છોડ અને ઉત્પાદનમાં વિપરીત અસરો જોવા મળી રહી છે. પાણીની તંગીને કારણે ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી ત્યારે હવે ભાદરવા મહિનામાં કપાસના પાકને પાણી ભરાઈ જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હજુ પણ વરસાદની આગાહીના પગલે કપાસના પાકને નુકશાનીથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે.
ચાલીસ હજાર હેક્ટરમાં પાકનું થયું છે વાવેતર
જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી રાઠોડે ETV ભારતને જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં 40.000 હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કપાસના પાકને વધુ પાણી મળવાને કારણે નુકસાન થઈ રહ્યું છે.