ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીની જૂનાગઢમાં માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાત ભ્રામક અને સત્યથી વેગળી :પુંજા વંશ - Manish Dodia

જૂનાગઢ: વડાપ્રધાન મોદી દ્વારા અલગ માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાતને કોંગ્રેસના ઉમેદવારે હવાઈ કિલ્લા સમાન ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીએ ગુજરાતની પ્રથમ ચૂંટણી સભામાં તેમના સ્વભાવ મુજબ ફેંકવાની શરૂઆત કરીને પ્રચારનો આરંભ કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 10, 2019, 7:16 PM IST

આજે વડાપ્રધાન મોદી ગુજરાતના જૂનાગઢમાં ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. તેમણે મોતીબાગ કેમ્પસમાં આયોજિત ચૂંટણી સભામાં માછીમારો માટે એક અલગ મંત્રાલયનું ગઠન કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાનની આ જાહેરાતને કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે ભ્રામક અને સત્યથી વેગળી ગણાવી હતી.

PM મોદીએ જૂનાગઢમાં માછીમારી મંત્રાલય બનાવવાની ફેકવાની જાહેરાત કરી: પૂજા વંશ
પુંજા વંશે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સોમનાથમાં પણ આવી જાહેરાત કરી હતી પરંતુ આ યોજના આજે ક્યાંય જોવા મળતી નથી. તેઓ આજે ફરી માછીમાર મંત્રાલયની જાહેરાત કરીને માછીમાર સમાજને છેતરવા આવ્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ફેંકવાની શરૂઆત કરી હતી. જેને જૂનાગઢની જનતા હવે સમજી ગઈ છે. પુંજા વંશે આગામી 23મી તારીખે તેનો જવાબ મતના રૂપમાં આપીને ફેંકવાની આ પરંપરાને કાયમી ધોરણે અટકાવીને જૂનાગઢ બેઠક પર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details