ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: મુખ્યપ્રધાને જૂનાગઢ ખાતે યોજી પુર અસરગ્રસ્ત વિસ્તારોની રીવ્યુ બેઠક - Chief Minister bhupendr patel held review meeting

સીએમ ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે છે ત્યારે તેમને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ ત્રણ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તાકીદે સર્વે કરવાની સૂચન આપી હતી. જેમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

chief-minister-bhupendr-patel-held-review-meeting-of-flood-affected-areas-at-junagadh
chief-minister-bhupendr-patel-held-review-meeting-of-flood-affected-areas-at-junagadh

By

Published : Jul 21, 2023, 6:06 PM IST

પુર અસરગ્રસ્ત વિસ્તારોની રીવ્યુ બેઠક

જૂનાગઢ:મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પુર અસરગ્રસ્ત જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ જિલ્લાના ગામોનો રાજ્યના મુખ્ય સચિવ અને અગ્ર મહેસુલ સચિવની ઉપસ્થિતિમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં પશુઓ માટે ઘાસચારો તેમજ પૂર અસરગ્રસ્ત વિસ્તારોનો તાકીદે સર્વે પૂર્ણ કરીને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો.

તાકિદે સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના: બેઠકમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જોકે સ્થાનિક જનપ્રતિનિધિઓએ બેઠકમાં હાજર રહેવાનું સૂચન ન મળતા તેઓ ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં પશુઓ માટે ઘાસચારો તેમજ પુર અને અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારો માટે તાકિદે સર્વેની કામગીરી શરૂ કરવાની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આદેશ કર્યો હતો.

ત્રણ જિલ્લામાં ભારે વરસાદ:પાછલા ત્રણ દિવસ દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢની સાથે વિસાવદર, માંગરોળ, માણાવદર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા આ વિસ્તારોમાં મોસમના 100 ટકા કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. જેને કારણે નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ખેતીના પાક સહિત પશુઓનો ઘાસચારો અને લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

હવાઈ નિરીક્ષણ: મુખ્યપ્રધાને રાજ્યના મુખ્ય સચિવની સાથે અગ્ર મહેસુલ સચિવ તેમજ રાહત કમિશનરની હાજરીમાં સમગ્ર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્સ બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને નુકસાનીનો સર્વે અને ઘાસચારાને લઈને પરિસ્થિતિ પૂર્વવત થાય તે માટેના આદેશો કરવામાં આવ્યા હતા.

  1. CM Bhupendra Patel In Junagadh: સીએમ ભુપેન્દ્ર પટેલની જૂનાગઢ ખાતે પૂર અને અતિવૃષ્ટિને લઈને રીવ્યુ બેઠક, સ્થાનિક ધારાસભ્યોને ન બોલાવતા વિવાદ
  2. Weather Updates: ગુજરાત માટે ત્રણ દિવસ હજી ભારે! વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details