ભારત રત્ન મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયની યાદમાં ઉજવવામાં આવે છે 'વિશ્વ ઈજનેર દિવસ' - જૂનાગઢના સમાચાર
જૂનાગઢ: ભારત રત્ન મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને વિશ્વ ઈજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંઘ પ્રદેશ દીવમાં પણ મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને દીવના ઈજનેરોએ મનાવ્યો હતો. એમ.વિશ્વેશ્વરાયના જન્મદિવસે ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઈજનેર ડે તરીકે ઉજવવામાં આવે છે. એમ.વિશ્વેશ્વરાયનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ એક તેલગુમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ મૈસુરના કોલાર જિલ્લાના મુદદ્દીહલ્લી ગામમાં થયો હતો. તેમના પિતા શ્રીનિવાસ શાસ્ત્રી એક શાળા શિક્ષક અને જાણીતા સંસ્કૃત વિદ્વાન હતા.
સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ઈજનેર દિવસ
સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે, વિશ્વ ઈજનેર દિવસ ભારત રત્ન અને સફળ ઈજનેર એવા મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને ઈજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૈસુર રાજ્યમાં જન્મેલા મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયની યાદમાં ભારતમાં વર્ષ 1968માં પ્રથમ વખત ઈજનેર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે આજદિન સુધી કરવામાં આવી રહી છે.