ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત રત્ન મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયની યાદમાં ઉજવવામાં આવે છે 'વિશ્વ ઈજનેર દિવસ' - જૂનાગઢના સમાચાર

જૂનાગઢ: ભારત રત્ન મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને વિશ્વ ઈજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંઘ પ્રદેશ દીવમાં પણ મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને દીવના ઈજનેરોએ મનાવ્યો હતો. એમ.વિશ્વેશ્વરાયના જન્મદિવસે ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઈજનેર ડે તરીકે ઉજવવામાં આવે છે. એમ.વિશ્વેશ્વરાયનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ એક તેલગુમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ મૈસુરના કોલાર જિલ્લાના મુદદ્દીહલ્લી ગામમાં થયો હતો. તેમના પિતા શ્રીનિવાસ શાસ્ત્રી એક શાળા શિક્ષક અને જાણીતા સંસ્કૃત વિદ્વાન હતા.

સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ઈજનેર દિવસ

By

Published : Sep 15, 2019, 10:34 PM IST

સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે, વિશ્વ ઈજનેર દિવસ ભારત રત્ન અને સફળ ઈજનેર એવા મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને ઈજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૈસુર રાજ્યમાં જન્મેલા મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયની યાદમાં ભારતમાં વર્ષ 1968માં પ્રથમ વખત ઈજનેર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે આજદિન સુધી કરવામાં આવી રહી છે.

સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ઈજનેર દિવસ
મોક્ષગુંદમ વિશ્વેશ્વરાય દ્વારા જે પ્રકારે ભારતમાં ઇજનેરી ક્ષેત્રની દિશામાં મૈસૂરમાં ક્રિષ્ણા રાજા સાગર ડેમનું નિર્માણ કરીને સમગ્ર વિશ્વમાં ભારતની વાહવાહી કરવામાં મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના યોગદાનને કોઈ ભૂલી શકે તેમ નથી. વર્ષ 1955માં ભારત સરકાર દ્વારા તેમના ઇજનેરી ક્ષેત્રમાં આપવામાં આવેલા યોગદાનને લઈને તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં મૈસુર રાજયને આદર્શ રાજ્ય તરીકે સ્થાપવામાં પણ તેમનો અમુલ્ય ફાળો છે. વર્ષ 1903માં પુના નજીક આવેલા ખડકવાસલા પાસે પાણીના પ્રવાહ પર કાબુ કરી શકાય તેને લઈને ઑટોમૅટિક વીયર ફ્લૂડ ગેઇટનું પણ નિર્માણ કર્યું હતું, જેને દીવના ઈજનેરોએ યાદ કરીને ઇજનેર દિવસની ઉજવણી કરી હતી. સંઘ પ્રદેશ દીવમાં પણ મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયના જન્મ દિવસને દીવના ઈજનેરોએ મનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details