ગુજરાત

gujarat

જૂનાગઢમાં અઢી વાગ્યાની આસપાસ ભેદી ધડાકો ધડાકાને લઈને લોકોમાં ભયનો માહોલ

By

Published : Nov 8, 2021, 5:49 PM IST

જૂનાગઢ શહેરમાં આજે બપોરે અઢી કલાકની આસપાસ એક પ્રચંડ ધડાકો ધ્રુજારી સાથે જોવા મળ્યો હતો ધડાકો થતાંની સાથે જ લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. મોટાભાગના લોકોએ ધરતીકંપનો (Earthquakes)કોઈ પ્રચંડ આંચકો આવ્યો છે તેવું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધુ હતુ.તેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management)કચેરીના અધિકારીઓ પણ ધડાકાનું કારણ અને જગ્યા શોધવા માટે મથામણ કરી રહ્યા છે.

જૂનાગઢમાં અઢી વાગ્યાની આસપાસ  ભેદી ધડાકો ધડાકા ને લઈને લોકોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં અઢી વાગ્યાની આસપાસ ભેદી ધડાકો ધડાકા ને લઈને લોકોમાં ભયનો માહોલ

  • જૂનાગઢમાં બપોરે અઢી કલાકની આસપાસ સંભળાયો પ્રચંડ ધડાકો
  • ધડાકાની ધ્રુજારી આવતા લોકોને ધરતીકંપનું અનુમાન
  • અધિકારીઓ ધડાકાનું કારણ અને જગ્યા શોધવાની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં બપોરના અઢી વાગ્યાની આસપાસ એક પ્રચંડ ધડાકા સાથે નો અવાજ સંભળાયો હતો. અવાજ જૂનાગઢ શહેર (Junagadh city)સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં થોડા ઘણા અંશે સાંભળવા મળ્યો હતો. જોકે ધડાકા બાદ લોકો એ ધરતીકંપના (Earthquake)આંચકાને લઈને અનુમાનો લગાવવામાં શરૂ કર્યા હતા.

ધડાકો ધરતીકંપનો નહીં અન્ય કોઈ કારણે થયો

પરંતુ આ ધડાકો ધરતીકંપને કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણે થયું હોવાની જિલ્લા ડિઝાસ્ટર ઓફિસ દ્વારા વિગતો આપવામાં આવી રહી છે કે ધડાકા નું સાચું કારણ જાણવા ને લઈને ડિઝાસ્ટર વિભાગના અધિકારી(Disaster Department Officer)ઓ રાજ્યની વડી કચેરીના સંપર્કમાં રહીને ધડાકાનું વિગતવાર પૃથ્થકરણ કરી રહ્યા છે.

લોકોએ ધરતીકંપનો કોઈ પ્રચંડ આંચકો અનુંભવ્યો

શહેરમાં આજે બપોરે અઢી કલાકની આસપાસ એક પ્રચંડ ધડાકો ધ્રુજારી સાથે જોવા મળ્યો હતો ધડાકો થતાંની સાથે જ લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. મોટાભાગના લોકોએ ધરતીકંપનો કોઈ પ્રચંડ આંચકો આવ્યો છે તેવું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધો હતુ. પરંતુ ધડાકાનો અવાજ અને ધ્રુજારી અંગે જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બપોરના સમયે થયેલો ધડાકાને ધરતીકંપના આંચકાને સાથે કોઈ નિસ્બત નહીં હોવાનું જણાવ્યું હતું. ધડાકાની અવાજ અને તેની ધ્રુજારીને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો હજુ સુધી ધડાકા નું કારણ અને કયાં વિસ્તારમાં ધડાકો થયો છે તેની ચોક્કસ વિગતો જિલ્લા ડિઝાસ્ટર કચેરીને પણ મળી નથી.


જૂનાગઢ સહિત આસપાસના 40 કિલોમીટરની ધડાકાની ધ્રુજારી અનુભવાઈ
જૂનાગઢ શહેરમાં પ્રચંડ ધડાકા સાથે ભેદી અવાજ થયો હતો તેની ધ્રુજારી જુનાગઢ થી 40 કિલોમીટરના અંતરે આવેલા કેશોદ શહેરમાં પણ અનુભવવામાં આવી હતી. કેશોદ શહેરમાં ધડાકાના અવાજની તીવ્રતા સંભળાય ન હતી પરંતુ ધડાકાને કારણે જે ધ્રુજારી ઉત્પન્ન થઈ હતી તેનો અનુભવ કેશોદના લોકોએ પણ કર્યો હતો. સાથે સાથે જૂબનાગઢ થી લઈને 40 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા મોટાભાગના ગામોમાં ધડાકા ની બાદની જે તીવ્ર હતી તેનો અનુભવ ગામ લોકોએ કર્યો છે .

પાંચ મહિના પૂર્વે કેશોદ અને આસપાસના પંથકમાં અનુંભવાયો હતો

આ જ પ્રકારનો ધડાકો આજથી પાંચ મહિના પૂર્વે કેશોદ અને આસપાસના પંથકમાં પણ સાંભળવામાં આવ્યું હતો ધડાકા બાદ ધ્રુજારી ની અનુભૂતિ પણ આ વિસ્તારના લોકોને થઈ હતી. ત્યારે હવે પાંચ મહિના કરતાં વધુના સમય બાદ વધુ એક ધડાકો જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં સંભળાયો અને તેના બાદ ની ધ્રુજારી ની અનુભવ લોકોએ કર્યો હતો કિશોરના થયેલું ધડાકો શા કારણે થયું છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી ત્યારે જૂનાગઢમાં આ જ પ્રકારે આજનો ધડાકો થયો છે તેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીના અધિકારીઓ પણ ધડાકાનું કારણ અને જગ્યા શોધવા માટે મથામણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃવીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના

આ પણ વાંચોઃ2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ

ABOUT THE AUTHOR

...view details