ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પર થયેલા હુમલાની કરી ટીકા - gujaratinews

જામનગર: શહેરમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કૃષિ પ્રધાન રૂપાલા દ્વારા આ યુવા સંમેલન સાંસદ પૂનમ માડમ અને રાઘવજી પટેલના ચૂંટણી પ્રચાર માટે યોજવામાં આવ્યું હતું.

પરસોત્તમ રૂપાલા

By

Published : Apr 20, 2019, 1:22 PM IST

સાથે જ આ યુવા સંમેલનમાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના આ બંને ઉમેદવારોની જંગી બહુમતીથી જીત મેળવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી.

કૃષિ પ્રધાનની અધ્યક્ષતામાં યુવા સંમેલન યોજાયું
આ પ્રસંગે શહેર ભાજપ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યાં હતા. કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પટેલ પર થયેલા હુમલાની પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં તમામ લોકોએ પોતાના વિચારો રાખવા જોઈએ. તેમજ હાર્દિક પટેલ પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details