ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ખીજડિયા ગામના 2 સેના જવાન નિવૃત, ગામમાં યોજાયો સન્માન સમારોહ

જામનગરના ખીજડિયા ગામના બે ફોજી જવાન નિવૃત થયા હતા. દેશની સેવા કરવા બદલ ગ્રામજનોએ સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.

By

Published : Feb 8, 2020, 5:37 PM IST

Two army personnel retired of Khizdiya village Jamnagar district, village people organized a retired ceremony
ગામલોકોએ સન્માન સમારોહ યોજ્યો

જામનગરઃ શનિવારના રોજ વતન ભાવાભી ખીજડીયાના આંગણે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને પધારેલા બે ફોજી જવાનો જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ તથા જાડેજા ક્રિપાલસિંહ લખધીરસિંહ ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થયા હતા.

મજનોએ સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું

દેશની સેવાને કરવા બદલ ભાવાભી ખીજડીયા ગામ તેમજ આસપાસના ગામના લોકોએ તેમની કામગીરી બિરદાવતા આ ફોજી જવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સન્માનમાં એક રેલીનું પણ આયોજન કરાયું હતું.

ગામલોકોએ દેશની સરહદ પર આપેલી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામ લોકો દ્વારા બંને ફોજી ભાઈઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવાભી ખીજડીયાના ગામ લોકો દરેક નિવૃત્ત થઈને આવનારા ફોજી જવાનોનું હંમેશા ઉમળકાભેર સ્વાગત કરે છે. દેશની સરહદે પોતાની જુવાની વિતાવીને આપણા લોકોની રક્ષા કરી, નિવૃત્ત થઈને આવે ત્યારે તેમનું ગામલોકો સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન અચુક કરે છે.

ABOUT THE AUTHOR

...view details