જામનગર : કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ પર સમગ્ર દેશ શહીદોને નમન કર્યું હતુ. કારગિલ યુદ્ધ, જેને ઑપરેશન વિજયના નામથી પણ ઓળખાય છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે મે-જુલાઈ 1999 વચ્ચે કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં થયેલા સશસ્ત્ર સંઘર્ષનું નામ છે.
કારગિલ યુદ્ધ લડેલા જામનગરના જવાનોએ ETV ભારત સાથે વાતચીત કરી - Kargil Victory Day
જામનગરમાં હાલાર માજી સૈનિકોએ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
![કારગિલ યુદ્ધ લડેલા જામનગરના જવાનોએ ETV ભારત સાથે વાતચીત કરી jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8186149-thumbnail-3x2-sdzcvdc.jpg)
જામનગર
શહેરમાં કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને માજી સૈનિકો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારગિલ લડાઈમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં 527 જેટલા વીર જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તો 1366 જેટલા જવાનો ઘવાયા હતા.
કારગિલ યુદ્ધ લડેલા જામનગરના જવાનોએ ETV સામે કહી અનસુની કહાની....