ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં છેલ્લા 21વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન... - Jay Matarni

જામનગરઃ હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે જામનગરના જોગવેલ ગ્રુપ દ્વારા જામનગરથી માટેલની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન

By

Published : Apr 14, 2019, 2:40 AM IST

માટેલની આ પદયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા છે. જામનગરના દેવુભા ચોક ગિરધારી મંદિર પાછળથી આ સંઘ નીકળ્યો હતો. છેલ્લા 21 વર્ષથી જોગણ ગુરુદ્વારા માટેની પદયાત્રા સંઘનું આયોજન થાય છે. જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા સંઘમાં 900થી હજાર લોકો જોડાય છે અને માતાજીના ગુણગાન ગાતા પદયાત્રીઓ માટેલ પહોંચે છે.

જામનગરમાં આ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન
જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા તમામ પદયાત્રીઓ માટે મેડિકલ સુવિધા તેમજ ચા-નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ઉપાસકો વિવિધ માનતા અને પૂજા અર્ચના કરતા હોય છે તો કોઈ ભક્તો ચાલીને માટેલ જતા હોય છે. જામનગરનું આ જોગવડ ગ્રુપ વર્ષોથી માટેલ માતાજીના દર્શન કરવા પગપાળા જાય છે.

ABOUT THE AUTHOR

...view details