દ્વારકાની એક હોટલમાં જામનગરના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અશોકભાઇ નકુમે હોટલના રૂમમાં પંખામાં સાડી દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માહિતી મુજબ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને હોટલમાં કર્યો આપઘાત