ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના સહિત 2 લાખની ચોરી - JMR

જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં 2 લાખથી વધારે રકમ સોનાના દાગીના ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને FLS સહિત પોલીસ કાફલો સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 1, 2019, 6:50 AM IST

જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા છે. પોલીસે CCTVની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
રાજેશભાઇ રાનીપા પોતાના પરિવાર સાથે બહાર ગામ પ્રસંગમાં ગયા હતા અને તસ્કરો ત્રાટક્યા હતા. ઘરનો મેઇન દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના સહિત રોકડા આઠ હજાર મળી કુલ રકમ બે લાખ પાંચ હજાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે FLSની મદદથી ચોરી કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. ફોરવીલ વાહન લઈને ચોરી કરવા આવ્યા હોવાનું CCTVમાં સામે આવ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details