ગુજરાત

gujarat

ETV Bharat / state

લાલપુર, કાનાલુસના RTI એક્ટિવિસ્ટે માહિતી માગતા તંત્ર કામે લાગ્યું - જામનગર

જામનગરના લાલપુર તાલુકાના કાનાલુસ ગામના આરટીઆઈ એકટીવીસ્ટ પ્રેમજીભાઈ સોલંકીએ માહિતી કાયદાનું શસ્ત્ર ઉગામીને જામનગર જિલ્લા કલેકટર પાસે જુદા-જુદા આંદોલન અંગેની જોગવાઈની માહીતી માગતા તંત્ર કામે લાગ્યું છે.

લાલપુર, કાનાલુસના RTI એક્ટિવિસ્ટે માહિતી માંગતા તંત્ર લાગ્યું કામે
લાલપુર, કાનાલુસના RTI એક્ટિવિસ્ટે માહિતી માંગતા તંત્ર લાગ્યું કામે

By

Published : Sep 18, 2020, 6:24 PM IST

જામનગરઃ જિલ્લાના લાલપુરના કાનાલુસના RTI એકટીવીસ્ટ પ્રેમજીભાઈ સોલંકીએ જિલ્લા કલેકટર પાસે માહિતી આપવા જણાવેલું છે કે, ભારતીય બંધારણની જોગવાઈઓ અનુસાર લોકશાહીમાં લોકોને આંદોલન માટે લેવી પડતી મંજૂરીઓ અને શરતો વિશે માહિતી માગી છે. તદુપરાંત આંદોલનો કેટલા પ્રકારના બંધારણીય જોગવાઈઓ અનુસાર જો તેની કોઈ જોગવાઈઓ અને માર્ગદર્શિકા માટે સરકાર દ્વારા કોઈ નીતિ નિયમો હોય તો તેની ખરીનકલ પુરી પાડવા જણાવાયું છે.

લાલપુર, કાનાલુસના RTI એક્ટિવિસ્ટે માહિતી માંગતા તંત્ર લાગ્યું કામે

ઉપરાંત ભારતીય બંધારણમાં લોકશાહીને અનુસાર આંદોલનનો સમાવેશ હોય તો તેની નકલ આપવી અને બંધારણ લોકશાહીને અનુરૂપ પોતાના ન્યાય માટે અરજદારો પ્રતિક ઉપવાસ તેમજ આમરણાત ઉપવાસ પર બેસવાનું હોય ત્યારે તેની મંજૂરી પત્રક કલેકટર રૂબરૂ આપવાનું હોય અથવા ઈન્વર્ડ શાખામાં જમા કરાવી ઉપસ્થિત સરકારી અધિકારી પાસેથી સહી સિક્કા કરાવી લેવા હોય તેની સંપૂર્ણ વિગતની માંગ કરાઈ છે. તેમજ બંધારણ લોકશાહી અનુરૂપ અન્ય કારણોસર આંદોલન કરનાર છાવણીમાંથી બરતરફ કરી ધરપકડ કરવામાં આવે અથવા આંદોલન છાવણીમાંથી તેઓને લગત પોલીસ કર્મચારીના કયા હુકમને આધારે કરવામાં આવે છે. તેની સંપૂર્ણ પરીપત્રોની ખરી નકલ માંગવામાં આવી છે.

ત્યારે હાલના લોકશાહીના દેશમાં લોકો દ્વારા ન્યાય મેળવવા માટે આંદોલનો કરતા હોય છે, ત્યારે કાનાલુસના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા જામનગર કલેક્ટર પાસે ન્યાય મેળવવા માટે થતા આંદોલનના નિયમો માહિતી માંગવામાં આવતા વહીવટ તંત્ર જવાબ આપવા માટે કામે લાગ્યું હોઈ તેવું જણાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details