જામનગર: ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ(President Ramnath Kovind )ગુજરાતમાં જામનગરમાં આવેલા ઇન્ડિયન નવલ શિપ વાલસુરા 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા ( Ramnath Kovind visit Jamnagar)માટે આવી રહ્યા છે. જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી તેના પુત્રે અમિત સોલંકીએ બનાવેલ રાષ્ટ્રપતિરામનાથ કોવિંદનું ચિત્ર રાષ્ટ્રપતિને ભેટમાં આપશે.
ત્રણ પેઢીથી પેન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા -જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ પેઢીથી પેન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ભવિષ્યમાં ચિત્રની (Indian Naval Ship Valsura)કળા લુપ્ત ન થાય તે માટે છેલ્લા 15 વર્ષથી ચિત્રના કલાસ પણ ચલાવામાં આવે છે. આગળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતની કોયલ લતા મંગેશકર, હેમંત કુમાર અને જગજીત સિંહ સહિત અને સેલિબ્રિટીઓના પેઇન્ટિંગ બનાવી તેમને ભેટ કર્યા છે.