જામનગરમાં કોરોના મહામારી વચ્ચે માટીના ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર
છોટીકાશી તરીકે પ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે. તો આ કોરોના જેવી મહામારીને ધ્યાને રાખીને સરકારના નિયમઅનુસાર ઉત્સવ ઉજવવા માટે શહેરીજનો તૈયારીઓ કરી રહ્યા છે.
ગણપતિની મૂર્તિઓ
જામનગર: છોટીકાશી જામનગરમાં ભકતજનો દ્વારા આગામી દિવસોમાં આવનારા ગણપતિ મહોત્સવની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. કોરોનાને કારણે સંક્રમણ ફેલાવવાનો ભય વધારો હોય છે, ત્યારે ભગવાન ગણપતિના ભક્તો દ્વારા પોતાના ઘરે જ માટીની નાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે અને અગિયાર દિવસ ગણપતિજીની પૂજા-અર્ચના કર્યા બાદ ઘરે જ એક પાણી ભરેલા વાસણમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે.