જામનગર:જામનગરમાં આવેલા ઉમિયા મોબાઈલ શોરૂમના બે કર્મચારીઓએ હિસાબમાં ગેરરીત (Mobile theft case Jamnagar) આચરી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના શોરૂમ માલિકે સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાને કામ કરતા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. સ્ટોર મેનેજરે રૂપિયા 17.34 લાખની કિંમતના 25 મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં હતાં. કેશિયરે રૂપિયા 4.95 લાખની હિસાબમાં ગેરરીત આચરી હોવાનુ ફરિયાદ (Jamnagar police City B Division)માં જણાવ્યું છે.
આ પણ વાંચો: શોર્ટકટ બન્યો લોંગટન, મેગાસિટીમાં બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
મોબાઈલ શોપમાં ચોરી: રાજકોટમાં પંચશીલ સોસાયટીમાં રહેતા ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિજેશભાઈ પ્રેમજીભાઈ જાદવાણી નામના 39 વર્ષીય યુવાને જામનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોકર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કંપનીના માલિક વિજેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં લીમડા લાઈન પાસે ઉમિયા મોબાઈલની બ્રાન્ચ આવેલી છે. જેમાં સ્ટોર મેનેજર તરીકે રાજકોટના આનંદ પ્રતાપ સંપટ અને કેશિયર તરીકે જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર રહેતો ચેતન ગોવિંદ પાથર નામના શખ્સો કામ કરતા હતા.