- જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારં
- અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત
- 22.41 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત
જામનગરઃ અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં અંદાજીત રૂપિયા 22.41 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
જામનગરમાં ચૂંટણી પહેલા વિકાસ કામોને વેગ
જામનગર અન્ન અને પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં ગોકુલનગર વિસ્તારમાં ધીરુભાઈ ઉકાભાઇના ઘરથી દશામાંના મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.65 લાખ, દિનેશભાઈ મુંજપરાના ઘર પાસેથી ચામુંડા માતાજીના મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 2.31 લાખ, ચામુંડા માતાજીના મંદિરથી આદેશ હનુમાનજી મંદિર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા 2.98 લાખ, ચનાભાઈ હરસોડાના ઘરથી ગોપાલભાઈ કોળીના ઘર સુધી C.C.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
રોડ રસ્તા અને ગટર સહિતના વિકાસ કામો શરૂ