- એક-બે મહિના બાદ સચાણા શિપયાર્ડ ફરી ધમધમતું થશે
- પ્લોટ નંબર 16માં લેવલિંગની કામગીરી શરૂ
- અંદાજીત 25 હજાર લોકોને મળશે રોજગારી પ્લોટ નંબર 16માં લેવલિંગની કામગીરી શરૂ
જામનગર : શહેરથી 30 કિલોમીટર દૂર આવેલું સચાણા શિપયાર્ડ ફરીથી ધમધમતું થયું છે. સચાણા શિપયાર્ડ ગત 8 વર્ષથી બંધ હાલતમાં હતું. મરીન નેશનલ પાર્ક અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમગ્ર કેસ હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ હાઇકોર્ટમાં 8 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો. આખરે સચાણા શિપયાર્ડને રાજ્ય સરકારે ફરીથી શરુ કરવા માટેની મંજૂરી આપી છે. જે કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, સચાણા શિપયાર્ડ શરુ થતા આશરે 25,000 લોકોને રોજગારી મળશે.
સચાણા શિપયાર્ડમાં નાના અને મધ્યમ કદના વહાણોનું ભંગાણ થશે
સચાણા શિપયાર્ડમાં નાના અને મધ્યમ કદના જહાજો ભંગાવવા માટે આવશે. જેનાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે. સચાણા શિપયાર્ડમાં કુલ 18 પ્લોટની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોટાભાગના પ્લોટ્સમાં હાલ સાફ-સફાઈ તેમજ લેવલિંગની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.