ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મહાનગરપાલિકાએ હોમ આઇસોલેશન કોરોના દર્દી માટે PG ડૉક્ટર સાથે 18 ટીમ શહેરમાં કરી ફરતી - જામનગર ગ્રામ્ય

જામનગર મહાનગરપાલિકાએ હોમ આઇસોલેશન કોરોના દર્દીઓ માટે PG ડૉક્ટર સાથે 18 હોમ આઇસોલેશન ટીમ બનાવી છે. જે શહેરમાં ફરી હોમ આઇસોલેશન કોરોના દર્દીઓની આરોગ્ય તપાસ કરશે છે. જો કોઈ દર્દીને જરૂર જણાય તો એવા દર્દીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવશે.

Jamnagar Municipal Corporation
Jamnagar Municipal Corporation

By

Published : Sep 4, 2020, 10:40 PM IST

જામનગરઃ હાલ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જે કારણે હોસ્પિટલમાં પણ બેડની અછત છે. ત્યારે 700 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલના બેડમાં વધારો કરી 1200 કરવામાં આવી છે. ત્યારે ઘરે જ આઈસોલેટ થયેલા કોરોના દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે, તે માટે મહાનગરપાલિકા દ્વારા શુક્રવારથી 18 હોમ આઇસોલેશન ટીમ કાર્યરત કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં શુક્રવારના રોજ સવારે 11 કલાકે હોમ આઇસોલેશન માટે PG ડૉકટર સાથે 18 રીક્ષા શહેરમાં કરી ફરતી કરવામાં આવી છે. જામનગર શહેરમાં રોજ 90થી 100 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ આ અંગે જાગૃત છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને મેયર હસમુખ જેઠવા થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ લીલી ઝંડી આપી તમામ આઇસોલેશન રિક્ષાઓને રવાના કરી હતી.

જામનગર મહાનગરપાલિકાએ હોમ આઇસોલેશન કોરોના દર્દી માટે PG ડૉક્ટર સાથે 18 ટીમ શહેરમાં કરી ફરતી

જામનગર શહેરમાં 700 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હોમ આઇસોલેશન કરવામાં આવે છે. જે કોરોના દર્દીઓ પોતાના ઘરે છે, તેમને ઘરે જ સારવાર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા PGમાં અભ્યાસ કરતા ડૉકટરને રિક્ષામાં કીટ સાથે ઘરે ઘરે મોકલવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં શુક્રવારે 99 નવા પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે 102 કોરોના દર્દી સ્વાસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ નોંધાય છે, તો 14 દર્દી કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details