9 વર્ષની બાળકીએ મુખ્ય પ્રધાન રાહતનીધિમાં પોતાની બચતના રૂ. 11,111 અર્પણ કર્યા છે. અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને 11,111નો ચેક એનાયત કરી શ્રુતિબા બન્યા સાઇલન્ટ કોરોના વોરિયર...
જામનગરમાં 9 વર્ષના શ્રુતિબાએ પોતાના પીગીબેંકના 11,111 મુખ્ય પ્રધાન રાહત ફંડમાં આપ્યા - શ્રુતિબા બન્યા સાઇલન્ટ કોરોના વોરિયર
જામનગરમાં હાલ કોરોના વાયરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. એક તરફ આરોગ્યકર્મીઓ અને પોલીસકર્મીઓ ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જામનગરના નાના ભૂલકાઓ આ લડતમાં પોતાની બચતનું આર્થિક યોગદાન આપી સાઇલન્ટ કોરોના વોરિયર બની રહ્યા છે. અગાઉ જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષના પ્રવેશના જન્મદિન નિમિત્તે રૂપિયા 11,000 મુખ્ય પ્રધાન રાહત નિધિમાં અર્પણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
જામનગરઃ ગુરૂવારના રોજ જામનગરની 9 વર્ષની અને ધોરણ 3માં આભ્યાસ કરતા શ્રુતિબા રાજદીપસિંહ જાડેજાએ રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોતાના પીગીબેંકની બચતના રૂ. 11,111 મુખ્ય પ્રધાન રાહત નિધિમાં અર્પણ કરવા અનુદાનનો ચેક એનાયત કર્યો હતો. આ સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્રુતિબાએ કહ્યું કે, મારી બચતના આ રૂ.11,000 હું મુખ્ય પ્રધાન રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહી છું, આ રૂપિયાથી ગરીબોની સેવા થશે તેથી આ મારી બચત આપી ગરીબોની સેવામાં સહભાગી બની છું.
માત્ર 9 વર્ષની ઉંમરે લોકોની સેવા માટે આગળા આવતા આ બાળકીએ અને તેના જેવા અન્ય બાળકોએ સાઇલન્ટ કોરોના વોરિયર જ છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે. રાજ્ય પ્રધાનએ બાળકીના દરિદ્રનારાયણની સેવા માટે યોગદાનના વિચારોને બિરદાવ્યા હતા.