જામનગર : છેલ્લા ત્રણ મહિનાથી કામ ધંધા વિના બેરોજગાર બેઠેલા માછીમારો હાલ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. જો કે, માછીમારીની સિઝન પણ હવે ચોમાસામાં પૂર્ણ થવાના આરે છે. ત્યારે માછીમારો માટે રાજ્ય સરકાર કોઇ વિશેષ પેકેજ જાહેર કરે તેવી જામનગર માછીમારી સહકારી મંડળીના પ્રમુખ જુસબભાઈ વાલમે માગ કરી છે.
ત્રણ મહિનાથી બેરોજગાર માછીમારો વાવાઝોડા સામે લાચાર, રાહત પેકેજની માગ કરી - fishermen NEWS
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે માછીમારોની હાલની સ્થિતિ જાણવા માટે ETV ભારતની ટીમ જામનગરના જોડીયા ભૂંગા ખાતે પહોંચી હતી.

જામનગર
ત્રણ મહિનાથી બેરોજગાર માછીમારો વાવાઝોડા સામે લાચાર
જ્યારે દરિયો ખેડતા માછીમારો પાસે રોજગારીનું સાધન માત્ર માછીમારી છે. જો કે, ETVની ટીમે માછીમારોના ઘરે પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે.