ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર માટે ગર્વની વાત, રામમંદિર ભૂમિ પૂજનમાં ખીજડા મંદિરના સંત કૃષ્ણમણી સ્વામીને આમંત્રણ - ભગવાન શ્રીરામ મંદિર

આગામી 5મી ઓગસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે ભારતભરમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી 5 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જામનગર
જામનગર

By

Published : Jul 30, 2020, 2:03 PM IST

જામનગર : નવનીત પુરી ધામ ખીજડા મંદિરના સંત શ્રી 108 કૃષ્ણમણી સ્વામીને અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનમાં આમંત્રણ આપવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી હતી.

જામનગર માટે ગર્વની વાત, રામમંદિર ભૂમિ પૂજનમાં ખીજડા મંદિરના સંત કૃષ્ણમણી સ્વામીને આમંત્રણ
Etv સાથેની વાતચીતમાં કૃષ્ણસ્વામી જણાવ્યું કે, 5 ઓગસ્ટે ઐતિહાસિક દિવસ છે અને આ દિવસે વિશ્વભરમાં વસતા હિન્દુઓ જ દિવાળીની જેમ ઉજવણી કરવી જોઈએ. તેેમજ પોતાના ઘરે દીવો પ્રગટાવી રામ મંદિરનું સ્વાગત કરવું જોઈએ. ગુજરાતમાંથી પાંચ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના ખીજડા મંદિર મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવતા જામનગર માટે ગર્વની વાત છે.

ABOUT THE AUTHOR

...view details