ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: કોરોનાના કહેરમાં વસ્તાભાઈ કેશવાલા બન્યા ભામાશા, 1 કરોડના ઘઉં ગરીબોને દાન કર્યા - Jamnagar

વિશ્વભરમાં કોવિડ-19નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબોની વ્હારે આવી છે. જે લોકોના કામધંધા બંધ છે અને ઘરમાં આવક નથી, તેવા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમને ખરા સમયે જામનગરના સેવાભાવી વસ્તાભાઈ કેશવાલાએ મદદ કરી છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 188 જેટલા ગામડાના ગરીબ લોકોને ઘઉં મોકલ્યા છે.

જામનગર
જામનગર

By

Published : Apr 20, 2020, 12:49 PM IST

Updated : Apr 26, 2020, 9:04 PM IST

જામનગર: જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારથી વસ્તાભાઈ કેશવાલાએ ઘઉંનું દાન શરૂ કર્યું છે. તેમના દ્વારા જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં પહોંચડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વર્ષોથી સમર્પણ હોસ્પિટલ ચલાવતા વસ્તાભાઈ કેશવાલાએ સમર્પણ હોસ્પિટલના 27 વર્ષ પૂર્ણ થતા 27 હજાર ઘઉંની ગુણીઓ દાન કરવાની નેમ રાખી છે.

જામનગર: કોરોનાના કહેરમાં વસ્તાભાઈ કેશવાલા બન્યા ભામાશા, 1 કરોડના ઘઉં ગરીબોને દાન કર્યા
તેની સાથે જ જ્યારથી લોકડાઉન પૂર્ણ થશે. ત્યારબાદ 15 દિવસ સુધી પણ વસ્તાભાઇ કેશવાલા ગરીબ લોકોને ઘઉંનું દાન કરશે. આમ જામનગરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વસ્તાભાઇ કેશવાલા લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં હાલાર પંથકના ભામાશા બન્યા છે. તેઓ અનેક લોકોને મફતમાં ઘઉં આપી રહ્યા છે.
Last Updated : Apr 26, 2020, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details