આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગર જી.જી હોસપીટલની નવી બિલ્ડીંગમાં આવેલા ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે તેમણે જામનગરની જી.જી.હોસ્પિટલમાંના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ પણ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.
જામનગરમાં આરોગ્ય કમિશ્નરે ડેન્ગયુ વોર્ડની લીધી મુલાકાત - dengue news in jamnagar
જામનગરઃ ડેન્ગ્યુનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગાંધીનગરથી આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગરમાં દોડી આવ્યા હતા અને અહીં તેમણે જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકાના કમિશ્નર અને જામનગર જી.જી હોસ્પિટલના ડીન સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમજ પત્રકાર પરિષદ યોજી હતી.

Dengue ward in Jamnagar
જામનગરમાં આરોગ્ય કમિશ્નરે ડેન્ગયુ વોર્ડની લીધી મુલાકાત
આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે. શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુના મચ્છર અને રોગને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.
Last Updated : Oct 16, 2019, 12:14 AM IST