જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો, અન્ન-પુરવઠા પ્રધાને હોસ્પિટલના સ્ટાફને આપ્યા અભિનંદન - જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો
જામનગર: રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુનો કેર જામનગર જિલ્લામાં જોવા મળ્યો હતો. અહીં સિઝનમાં અઢી હજારથી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ જામનગરની જી.જી.હોસ્પિટલમાં નોંધાયા હતા. જો કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ડેન્ગ્યુના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતા અન્ન અને પુરવઠા પ્રધાને હોસ્પિટલ સ્ટાફને આપ્યા અભિનંદન
રાજ્યના અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા જી.જી હોસપિટલની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા હેલ્થ વર્કરની કામગીરી અને હોસ્પિટલના ડોક્ટર તેમજ હોસ્પિટલ સ્ટાફના સખત મહેનતના કારણે ડેન્ગ્યુને નાથવામાં જામનગરની જી.જી હોસ્પિટલ સફળ રહી છે. રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતા અન્ન અને પુરવઠા પ્રધાને હોસ્પિટલ સ્ટાફને આપ્યા અભિનંદન
Last Updated : Nov 29, 2019, 5:51 PM IST