ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના જીવાપર ગામમાં ખેડૂતોના નામે કરોડો રૂપિયા કર્યા ચાંઉ - gujarat news

જામનગરઃ જીવાપર ગામના ખેડૂતોએ પાક ધીરાણ લીધું ના હોવા છતાં ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેંક દ્વારા ખેડૂતોને બાકી પાક ધીરાણ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ખેડૂતોમાં ચિંતા સાથે ભાગદોડ મચી હતી અને પાછળથી ખબર પડી કે જીવાપર મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા ખેડૂતોને નામે કરોડો રૂપિયાની ગોલમાલ આચરવામાં આવી છે અને ભારે હોબાળા સાથે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છો.

સ્પોટ ફોટો

By

Published : May 1, 2019, 6:19 AM IST

પાકધીરાણના આ ચકચારી કૌભાંડની મળતી વિગતો પ્રમાણે જામનગર તાલુકાના જીવાપર સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજી પરમાર અને મંત્રી વાલજી વશરામ પરમારે જીવાપર ગામના 16 જેટલા ખેડૂતોના નામે ખાતા ખોલાવીને બોગસ એકાઉન્ટ બનાવીને 1,47,82,125 રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. પરંતુ પાછળથી આ 16 જેટલા ખેડૂતોને ડીસ્ટ્રીકટ કો. બેંક દ્વારા 2008થી 2013 દરમિયાન ધીરાણ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા અને ધિરાણ લીધું ન હોવા છતાં એમના નામે કૌભાંડ આચરવામાં આવતા ખેડુતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા હતા.

ખેડૂતોના નામે કરોડો રૂપિયા કર્યા ચાંઉ
જામનગર LCB દ્વારા તપાસ હાથ ધરતા જીવાપર મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજી પરમાર કે જેઓ જામનગર ડી.કો.બેન્કના ડાયરેક્ટર પણ હતા, તેમજ મંડળીના મંત્રી વાલજી વશરામ પરમાર 16 ખેડૂતોના નામે એક કરોડ ઉપરનું કૌભાંડ આચર્યું હતું. ઉપરાંત 15 કરોડથી પણ વધુ કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે, તેવામાં મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજી પરમાર અને મંત્રી વાલજી વશરામ પરમાર આગોતરા જામીન મેળવીને પોલીસમાં હાજર થયા હતા,

સબળ પુરાવા સાથે LCBએ અદાલતમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા અદાલત બન્ને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરીને પૂછપરછ હાથ ધરતા આ કૌભાંડનો રેલો જામનગર ડીસ્ટ્રીક્ટ કોઑપરેટીવ બેંકના અધિકારી,મેનેજર તથા પદાધિકારી સુધી જાય તેમ છે. તેવી શક્યતા વચ્ચે હાલ તો સહકારી ક્ષેત્રમા ભાગદોડ મચી છે.

ABOUT THE AUTHOR

...view details