ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે દરેડમાં આવેલું મંદિર પાણીમાં ગરકાવ - Jamnagar Rain News

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આસ્થાનું પ્રતીક ગણાતું દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું હતું. આ મંદિરને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનો મેડાવળો જોવા મળતો હોઇ છે. પરંતુ આ વર્ષે હાલની પરિસ્થિને ધ્યાને લઇ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ

By

Published : Aug 24, 2020, 11:01 PM IST

જામનગરઃ શહેરમાં આસ્થાનું પ્રતીક ગણાતું દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે વરસાદના કારણે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. આ મંદિરને જોવા માટે લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ઉંમટતા હોય છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીના કારણે અહીં લોકોની આવન-જાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે જામનગર જિલ્લામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે મોટા ભાગની નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે અને જળાશયો પણ ઓવરફ્લો થયા છે. જામનગરના દરેડ પાસેથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીની વચ્ચે આવેલા ખોડિયાર માતાજીનું મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ
આમ જામનગર જિલ્લામાં સર્વત્ર 4 ઈંચથી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોડીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. થોડા દિવસ પહેલા જામનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે રંગમતી અને નાગમતી નદીમાં ઘોડાપૂર આવતા ડૂબ્યું છે.

ABOUT THE AUTHOR

...view details