ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો 10 જૂને યોજાશે

જામનગર: ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તેવા ઝુંબેશ સ્વરૂપે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો ભરતીમેળો યોજવામાં આવ્યો છે. 10 જૂને સવારે 10:30 કલાકે રોજગાર કચેરી ગ્રાઉન્ડ, ITI કેમ્પસ અંદર બસ સ્ટેન્ડ સામે, જામનગર ખાતે ભરતીમેળો યોજાશે.

By

Published : May 29, 2019, 11:26 AM IST

ITI

આ ભરતીમેળામાં જુદા જુદા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ રોજગાર વાંચ્છુ ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તેવા માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ જિલ્લા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ 10-12 કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમર મર્યાદા 18 થી 35 રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.

આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય અથવા જેમને લેટર ન મળેલ હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન સવારે 10:00 કલાકે સ્થળ પર જ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details