જામનગરમાં ધનતેરસના દિવસે શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં મહાલક્ષ્મી પર્વની ઉજવણી કરાઇ - Dhanteras news
જામનગરઃ ધનતેરસના રોજ પ્રણામી ગ્રાઉન્ડમાં મહાલક્ષ્મી પર્વની ઉજવણીમાં આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર હસ્તે મહાલક્ષ્મી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં શહેરિજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહાલક્ષ્મી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર
20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર જામનગર પધાર્યા હતાં. જેના કારણે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પ્રાણમી આશ્રમના 108 કૃષ્ણમણિ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં ધનતેરસના દિવસે શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં મહાલક્ષ્મી પર્વની ઉજવણી કરાઇ
Last Updated : Oct 25, 2019, 10:57 PM IST