જામનગરઃ "સાપ" આપણો શત્રુ નથી, મિત્ર છે ! કુદરતનું એક નિરાલું સર્જન છે. એ વાતને ચરિતાર્થ કરવા “નવાનગર નેચર ક્લબ ” દ્વારા ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપોની માહિતી દર્શાવતું એક પોસ્ટર રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ના વરદ હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ઝેરી સાપની માહિતી દર્શાવતા પોસ્ટરનું વિમોચન કરાયું - danger Snack poster
"સાપ"નું નામ સાંભળતા જ આપણા રુંવાડા ઉભા થઇ જાય છે. તેથી લોકો સાપને જોતા જ દંડા લઈને મારવા દોડે છે. આજકાલ આવી ઘટનાઓ બહુ વધી ગઈ છે. વધતા જતા શહેરીકરણના લીધે શહેરી વિસ્તારોમાં સાપ નીકળવાના અનેક બનાવો જોવા મળે છે. સાપ વિશે આપણા સમાજમાં અનેક ગેરમાન્યતાઓ છે. જેના લીધે અનેક લોકો સાપને પોતાનો દુશ્મન સમજે છે. સાપ વિશે અપૂરતી માહિતીના કારણે બિનઝેરી સાપ કરડવાથી પણ લોકો મૃત્યુ પામે છે.
![જામનગરમાં ઝેરી સાપની માહિતી દર્શાવતા પોસ્ટરનું વિમોચન કરાયું જામનગરમાં ઝેરી સાપોની માહિતી દર્શાવતું પોસ્ટરનું વિમોચન રાજ્ય પ્રધાન ધરમેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8256584-532-8256584-1596273602762.jpg)
આ પોસ્ટર દ્વારા લોકોમાં સાપ અંગે બંધાયેલો રૂઢિગત ખોટી માન્યતાઓ દૂર થશે અને ખરેખર, "સાપ" આપણા માટે કેટલું ઉપકારક અને ઉપયોગી જંતુ છે, એ વાત પ્રતિપાદિત થશે. લોકજાગૃતિ અને સાપ અંગેની ખરી હકીકત સમાજનાં ખૂણે-ખૂણે પહોંચાડવાની અમારી નેમ છે. આ પોસ્ટર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની પંચાયતો, સ્કૂલો અને દવાખાનાઓમાં લગાડવામાં આવશે.
આ પ્રસંગે દિલીપસિંહ જેઠવા સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, મિતેશભાઈ બુદ્ધભટ્ટી, ધર્મેશ અજા, પ્રવિણસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.