ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખવા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન - Janmagar Collector

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યુ છે, છતાં હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ મળે તે માટે માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખવા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન
હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખવા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

By

Published : Mar 26, 2021, 4:46 PM IST

Updated : Mar 26, 2021, 5:10 PM IST

  • જામનગર જગત મંદિર હોળી પર ખૂલ્લુ રાખવા કલેક્ટરને આવેદન
  • મંદિર ખૂલ્લુ રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ માટે કરાઇ રજૂઆત
  • જામનગર માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

જામનગરઃ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યુ છે, છતાં હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ મળે તે માટે માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેરમાં માલધારી સેનાના ઉપપ્રમુખએ જણાવ્યું હતું કે, એવું જ નથી કે માલધારી સમાજ જ માનતા રાખે છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના વાળ દાઢી વધારવાની માનતા એમના સંકલ્પ મુજબ લીધેલી છે અને આ ભારતીય સંસ્કૃતિ મુજબનું સન્માનનિય કાર્ય કર્યું છે.

હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખવા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

જામનગરના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદન

જામનગર શહેરના માલધારી સેનાના ઉપપ્રમુખએ વધુમાં જણાવ્યું હતુ કે, હિન્દુઓના પવિત્ર તહેવાર હોળીમાં શિસ્તબદ્ધ રીતે, સેનિટાઈઝ કરી મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. માત્ર હિન્દુ મંદિરોમાં જ કોરોના સંક્રમણ થાય તે ખરેખર વિચાર માગીલે છે. આથી વીશાળ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખેલા મંદિરમાં 27 થી 29 મંદિર ખૂલ્લુ રખાવી લોકોની આસ્થા અને માનતા પૂરી થાય તે માટે જામનગરના માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

Last Updated : Mar 26, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details