ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ખેડૂતોએ પાક વળતર બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Jamnagar Latest News

જામનગર: કમોસમી વરસાદથી જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં પાક નુકસાનની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર

By

Published : Nov 20, 2019, 7:58 PM IST

જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.

જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
આવેદનમાં નુકસાનીનો અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પાક નુકસાન અંગે સહાય કરવા કંપનીઓને આદેશ કરવાની માગ કરવામાં આવી હતી. દરમિયાન ખેડૂતોએ યોગ્ય વળતર અને પાક નુકસાનની અરજી કરવાની મુદત વધારવા માટે માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details