જામનગરના ખેડૂતોએ પાક વળતર બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Jamnagar Latest News
જામનગર: કમોસમી વરસાદથી જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં પાક નુકસાનની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.