ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી - amnagar latest news

ગુજરાત સરકાર સર્વે જીવ પ્રત્યે સંવેદના ધરાવે છે. અગાઉ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતમાં પશુ આરોગ્ય માટે કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભ આશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

જામનગરના નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી
જામનગરના નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી

By

Published : Jun 25, 2020, 8:06 PM IST

જામનગર: ગુજરાત સરકાર સર્વે જીવ પ્રત્યે સંવેદના ધરાવે છે. અગાઉ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતમાં પશુ આરોગ્ય માટે કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ કરુણાના ઝરણાથી શરૂ થયેલી યાત્રા આજે એક સરિતાનું રૂપ લઇ ચૂકી છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભ આશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા, કાલાવડ તાલુકાના આણંદપર અને જામજોધપુર તાલુકાના તરસાઇ ગામ ખાતે કુલ ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે. જેનો લોકાર્પણ સમારોહ જામનગરના જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.

જામનગરના નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી


આ પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજય પ્રધાનો ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માણસને બચાવવા જેમ 108 એમ્બ્યુલન્સ છે. તેમ હવે પશુઓની સારવાર માટે રાજય સરકારે 1962 મોબાઇલ વાન શરૂ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘરે બેઠા જ બીમાર પશુઓના રોગોના નિદાન-સારવાર અને ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે. મનુષ્ય યોનિમાં જન્મ માત્ર મનુષ્યો માટે નહી પણ સર્વે જીવોના કલ્યાણ માટે મળતો હોય છે, ત્યારે સંવેદના અને કરુણાસભર મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના અનેક પશુઓની તકલીફો દૂર થશે. આ સગવડથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુપાલકોને ઘરે મળતી આ સુવિધાથી પશુપાલન પ્રવૃતિને વધુ ગુણવત્તાસભર અને વેગવાન બનાવી શકાશે. પ્રથમ તબકકામા મળેલા આ ત્રણ વાન બાદ હજુ પણ બીજા 9 મોબાઇલ પશુ દવાખાના જામનગર જિલ્લાને પ્રાપ્ત થશે તેમ મંત્રી પ્રધાને ઉમેર્યું હતું.

ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતીના અધ્યક્ષ સુમિત્રાબેન સાવલીયાએ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. તેમજ મોબાઇલ પશુ દવાખાનાની ગાડીની ચાવી ડ્રાયવરને આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ધ્રોલ તાલુકાના નથુવડલા અને આજુબાજુના મજોઠ, સોયલ, રોજીયા, નાનાવાગુદડ, મોટા વાગુદડ, હમાપર,માણેકપર, હાટાટોડા, હજામચોરા એમ કુલ 10 ગામોના, કાલાવડ તાલુકાના આણંદપર તથા આજુબાજુના ખડધોરાજી, ચારણ પીપળીયા, રાજડા, રાજસ્થલી, ખીમાણી સણોસરા, ચાપરા, કોઠાભડુકીયા, મોટા ભડુકીયા, લબુકીયા ભડુકીયા એમ કુલ 10 ગામ તથા જામજોધપુર તાલુકાના તરસાઇ તથા આજુબાજુના જામસખપર, વાંસજાળીયા, સતાપર, ઉદેપર, વરવાળા, મહીકી, પાટણ, પરડવા, અમરાપર એમ કુલ 10 ગામના પશુધનને આ મોબાઇલ પશુ દવાખાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા,જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નાયબ પશુપાલન નિયામક ડો.ભગીરથ પટેલ, જી.વી.કે.ના ઘટેસીયા સહિતના અધિકારી-કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details