ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ - કિરીટભાઈ જોશી હત્યાકાંડ

જામનગરઃ બહુચર્ચીત એડવોકેટ કિરીટભાઈ જોશી હત્યાકાંડમાં ગુરૂવારે જિલ્લા કલેકટર રવિશંકરને એડવોકેટ કિરીટભાઈ જોશીના પરિવારજનો અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં હત્યારાને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

victim family demand

By

Published : Sep 20, 2019, 4:22 AM IST

એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા દોઢ વર્ષ પહેલા થઈ હતી. જોકે હજુ સુધી કિરીટ જોશીનો હત્યારો ઝડપાયો નથી. હાલ કિરીટ જોશી હત્યાકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ જામનગર કરી રહી છે. જો કે, આ કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા બ્રહ્મ સમાજ દ્વારા હત્યારાને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ
થોડા દિવસ પહેલા જામનગરની નિશા ગોંડલીયાએ પત્રકાર પરિષદ યોજી અને પોતે દુબઈમાં ભૂમાફિયા જયેશ પટેલને મળી હોવાનું દાવો કર્યો હતો અને બિટકોઇન મામલે ખુલાસા પણ કર્યા છે.એડવોકેટ કિરીટભાઈ જોશીના માતા તેમજ તેમના પત્ની અને તેમના ભાઇ સહિતના પરિવારજનો આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. કિરીટ જોશીનો હત્યારો હાલ દુબઇમાં હોવાનું પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details