ગુજરાત

gujarat

By

Published : Oct 17, 2020, 9:18 AM IST

ETV Bharat / state

જામનગરમાં GCTOC એક્ટ હેઠળ 8 અરેસ્ટ, 5 ભુમાફિયા હજી ફરાર

જામનગર: રાજ્યમાં અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા GCTOC એક્ટ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જે GCTOC એક્ટ હેઠળ જામનગરમાં 13 આરોપીઓ સમક્ષ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર
જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર

  • જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન શરૂ
  • જામનગર પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં 8 જેટલા શખ્સની કરી ધરપકડ
  • રાજકોટ રેન્જ આઈજી દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન
  • અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા GCTOC એક્ટ કાયદો અમલમાં મુકાયો

જામનગરઃ જિલ્લામાં જ્યેશ પટેલની આગેવાનીમાં તેના સાગરિતો સાથે મળી પૂર્વ યોજિત કાવતરું રચી એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન મકાનનો રિયલ એસ્ટેટ બ્રોકર તેમજ વેપારીઓ પાસેથી હિંસાનો ભય બતાવી ગુનાહિત ધાક-ધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવા હતાં. જે ધ્યાને આવતા જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર પોલીસે 8 જેટલા શખ્સને દબોચી લીધા છે.

જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર
આપણે જામનગર પોલીસ દ્વારા ખુફિયા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર તેમજ પોલીસ ટીમ દ્વારા જમીન કૌભાંડમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે સંદર્ભે આજે રાજકોટ રેન્જ આઈજી દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓને રજૂ કરી જમીન કૌભાંડ મામલે તમામ માહિતી પત્રકારો સમક્ષ મૂકવામાં આવી હતી.સમગ્ર કૌભાંડમાં સિન્ડિકેટ બનાવી કઈ રીતે જમીન પચાવી પાડવામાં આવતી હતી અને તે જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મારવામાં આવતી હતી તેનો ખુલાસો જામનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ જામનગર SP દીપેન ભદ્રેન દ્વારા વિવિધ ટીમો બનાવી ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર
ખાસ કરીને જામનગર જિલ્લાના જમીનમાલિકો રિયલ એસ્ટેટ તેમજ વેપારીઓ પાસેથી હિંસાનો ભય બતાવી ધમકી આપી બળજબરીથી રોકડા રૂપિયા તથા મિલકત મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જામનગર શહેરમાં આંતકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રિત અધિનિયમ એટલે કે, GCTOC એક્ટ હેઠળ 13 આરોપીઓ સમક્ષ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય પાંચ આરોપીઓ જે ફરાર જણાવાય રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જયેશ પટેલના જમીન કૌભાંડ મામલો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશનને ખુફિયા રીતે અંજામ આપવામાં આવ્યો છે. આ સજાની વાત કરીએ તો આ કાયદા મુજબ જો ગુનો સાબિત થાય તો આરોપીઓને 5 વર્ષની સજાથી લઇ જન્મટીપ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details