ગુજરાત

gujarat

By

Published : Dec 27, 2019, 1:29 PM IST

ETV Bharat / state

જામનગરમાં ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકતાં 4ના મોત

જામનગરઃ રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક સોયલ પાસે ઇકો કાર કેનાલમાં પલટી મારી જતાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને સારવાર હૉસ્પિટલમાં ખસેડાયો હતો.

જામનગર
જામનગર

ધ્રોલ નજીક ઇકો કાર પલટી જતાં ચારના લોકના મોત થયા હતાં અને એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે ધ્રોલની સરાકરી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

જામનગરમાં ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકતાં 4ના મોત

બાદમાં પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈકો કાર ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કારમાં બેઠેલા મુસાફરો જામજોધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details