ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથમાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા - કોરોના વાઇરસની અસર

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના સામેની લડાઇ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગીર સોમનાથમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઇ છે.

Etv BHarat, Gujarati News, Gir Somnath, Covid 19
Gir Somnath

By

Published : Apr 14, 2020, 11:07 AM IST

ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ જિલ્લાના એક માત્ર પોઝિટિવ કેસ કોરોના વાઇરસ ગ્રસ્ત મહિલા દર્દીનું ફોલોઅપ સેમ્પલ પણ લેવાયુ હતું.

ગીર સોમનાથમાં કોરોના વાઇરસને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લામાં લૉકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ ન ફેલાય તે માટે આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્રારા લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ 4 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં બે દર્દી સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે અને બે દર્દી આદિત્યા બિરલા હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા છે. કોરોના વાઇરસ ગ્રસ્ત મહિલા દર્દીનું ફોલોઅપ સેમ્પલ લેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ક્વોરન્ટાઇન ફેસેલીટી ખાતે ૨૦ પેસેન્જરોને રાખવામાં આવેલા છે, ત્યારે જિલ્લામાં કોરોનાનો કોઈપણ વધુ કેસ ન નોંધાય તેના માટે તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે. જેમાં જિલ્લા ભરમાંથી શંકાસ્પદ સેમ્પલ લેવાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details